ગુજરાત
News of Thursday, 15th April 2021

દક્ષિણ ગુજરાતના મોટા અગ્રણીને કોરોના ભરખી ગયો બારડોલી સુગરમીલના એમ,ડી, પંકજ પટેલનું નિધન

સુરતઃ ગુજરાતમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 7 હજારને પાર થઈ ગયા છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. કુલ મૃત્યુઆંક રાજ્યમાં 5 હજારની નજીક પહોંચી ગયો છે. ત્યારે કોરોનાએ દક્ષિણ ગુજરાતના મોટા આગેવાનનો ભોગ લીધો છે. બારડોલી સુગર મિલના એમ.ડી. પંકજ પટેલનું નિધન થયું છે. છેલ્લા અનેક વર્ષોથી સુગર મિલમાં એમ.ડી. તરીકે ફરજ બજાવી રહ્યા હતા

(9:44 am IST)