ગુજરાત
News of Thursday, 15th April 2021

નર્મદા જિલ્લામાં બુધવારે ૨૧ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૫૪૦ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં ભાટવાડા માં ૦૧, રાજપુત ફળિયા માં ૦૧ તથા નાદોદના વડીયામાં ૦૩, વાઘડિયામાં ૦૧, ગોપાલપુરા મા ૦૧ તથા ગરુડેશ્વર ના ઝરીયા માં ૦૧, કેવડિયામાં ૦૧ તથા ડેડીયાપાડા ના કંજાલમાં ૦૧, પાનુડામાં ૦૧ તથા સાગબારાના પાટમાં ૧૦ કેસ સાથે જિલ્લામાં કુલ ૨૧ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૬૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૭ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૪૭ દર્દી દાખલ છે, આજે ૨૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૩૮૯ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૫૪૦ પર પહોચ્યો છે.આજે વધુ ૧૮૧૫ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(12:52 am IST)