મારવાડ-આબૂ રોડ વચ્ચે છ ટ્રેન રદ કરવા માટેનો નિર્ણય
ચાર ટ્રેનોમાં થર્ડ એસી કોચ મુકવાનો પણ નિર્ણય : અમદાવાદ-અજમેર ઇન્ટરસીટી ૨૨ એપ્રિલથી ૨૫મી એપ્રિલ સુધી બંધ રહેશે : મોટી સંખ્યામાં લોકો અટવાશે
અમદાવાદ, તા. ૧૫ : ઉત્તર પશ્ચિમ રેલવેના મારવાડ-ભીનવાલિયા સ્ટેશનો વચ્ચે ડબલીકરણની કામગીરી ચાલી રહી હોવાથી ૨૨મી એપ્રિલથી છ ટ્રેનો રદ કરવામાં આવી રહી છે જે ટ્રેનો રદ કરવામાં આવી રહી છે તેમાં ટ્રેન સંખ્યા ૧૯૪૧૧ અમદાવાદ-અજમેર ઇન્ટરસીટી એક્સપ્રેસ ૨૨મી એપ્રિલથી ૨૫મી એપ્રિલ સુધી બંધ રહેશે. આવી જ રીતે ટ્રેન નં. ૧૯૪૧૨ અજમેર- અમદાવાદ એક્સપ્રેસ ૨૩મીથી ૨૬મી એપ્રિલ સુધી બંધ રહેશે. ટ્રેન સંખ્યા ૫૪૮૦૩ જોધપુર-અમદાવાદ પેસેન્જર ૨૨મી એપ્રિલથી ૨૫મી એપ્રિલ સુધી બંધ રહેશે. ટ્રેન સંખ્યા ૫૪૮૦૪ અમદાવાદ-જોધપુર પેસેન્જર ૨૨મીથી ૨૭મી એપ્રિલ સુધી બંધ રહેશે. ટ્રેન સંખ્યા ૫૪૮૦૫ અમદાવાદ-જયપુર પેસેન્જર ૨૨મીથી ૨૫મી એપ્રિલ સુધી બંધ રહેશે. આવી જ રીતે જયપુર-અમદાવાદ પેસેેન્જર ૨૧મીથી ૨૬મી સુધી બંધ રહેશે. બીજી બાજુ પુણેથી રવાના થનાર ચાર ટ્રેનોમાં તૃતીય એસી કોચ લગાવવામાં આવશે. પુણે-ભગતકીકોઠી, પુણે-અમદાવાદમાં થર્ડ એસી કોચ લગાવવામાં આવશે. પુણે-વેરાવળ ટ્રેનમાં પણ એસી કોચ લગાવવામાં આવશે. પુણે-ભુજમાં પણ આ સુવિધા ગોઠવવામાં આવી રહી છે. પુણે-અમદાવાદ એક્સપ્રેસમાં બીજી મેથી પુણેથી તથા ત્રીજી મેથી અમદાવાદથી થર્ડ એસી કોચ લગાવવામાં આવશે. બીજી બાજુ ગાંધીધામ-બાંદરા ટર્મિનસમાં પણ થર્ડ એસી કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છ ટ્રેનો મારવાડ-આબૂ રોડ વચ્ચે બંધ કરવામાં આવતા અજમેર ધાર્મિક સ્થળ પર જતાં મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. સાથે સાથે ઘણી ટ્રેનો કપાતા રાજસ્થાન તરફ જતાં લોકોનેઅંધાધૂંધીનો સામનો કરવો પડશે.