પ્રવીણ તોગડિયાના સમર્થનમાં રાજ્યમાં રાજીનામોનો દોર શરુ : 8 જિલ્લાના 62 પ્રખંડના રાજીનામા પડયા
સાબરકાંઠા જિલ્લાના તમામ હોદેદારોના ધડાધડ રાજીનામાં :ગીર સોમનાથ જિલ્લાના વીએચપી આગેવાનોએ પણ રાજીનામાં ફગાવ્યા: દસેય પ્રખંડોના પ્રમુખોએ રાજીનામાં :અમદાવાદમાં વીએચપી કાર્યાલયે સુત્રોચાર
અમદાવાદ : વિશ્વ હિંદુ પરિષદના પ્રવીણ તોગડિયા હવે પરિષદમાં નથી પરંતુ હિંદુવાદી કાર્યકરોના દિલમાં હજુ પણ સ્થાન ધરાવે છે તેને ચૂંટણી કરીને તેમને હાંકી કાઢવાની ઘટનાના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે તોગડિયાના રાજીનામાં બાદ 8 જિલ્લાના 62 પ્રખંડના રાજીનામા પડયા છે. અમદાવાદમાં VHP કાર્યાલય પર કાર્યકર્તાઓએ સુત્રોચ્ચાર કર્યો હતો અને તોગડિયાના સમર્થનમાં નારા લગાવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદમાંથી પ્રવિણ તોગડિયાને દૂર કરાતા અમદાવાદમાં તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. VHPના નારાજ કેટલાક કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વીએચપીના નારાજ હોદ્દારોએ ધડાધડ રાજીનામાં આપવાની શરૂઆત કરી દીધી છે.તમામ હોદ્દેદારોના રાજીનામાની નકલ RSSના સુપ્રીમોને મોકલી આપવામાં આવી છે.ગીર સોમનાથ જિલ્લાના VHPના આગેવાનોએ પણ પ્રવીણ તોગડિયાના સમર્થનમાં રાજીનામાં આપી દીધા છે. દસેય પ્રખંડોના પ્રમુખોએ રાજીનામાં આપી દીધા છે. આ સાથે જિલ્લા પ્રમુખ પણ આગામી સમયમાં રાજીનામું આપે તેવી શક્યતા છે.