ગુજરાત
News of Friday, 15th March 2019

સુરતના કતારગામમાં આર્થિક તંગીના કારણે બે વ્યક્તિએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં અને ચોક બજાર ખાતે આર્થિક સંકળામણના લીધે બે વ્યક્તિઓએ આત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછા રોડ પર આવેલી નવી શક્તિ વિજય સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ બાલુભાઈ ઘોઘારી ગઈકાલે બપોરે કટારગામ જીઆઇડીસીમાં કાકા દિનેશભાઈ એમ્બ્રોઇડરી કારખાનામાં જઇ ઝેરી દવા પીધી હતી તેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

(5:48 pm IST)