News of Thursday, 14th March 2019
અમદાવાદના ઘોડાસરમાં ઓવરબ્રિજ નજીક મુખ્ય રોડ બિસમાર હાલતમાં રહેતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી
અમદાવાદ: શહેરના ઘોડાસર વોર્ડમાં કેડિલા રેલવે ઓવરબ્રિજની પાસે આવેલી દિપમાલ બંગ્લોઝ સહિતની સોસાયટીઓ-ફ્લેટો પાસેથી પસાર થતો મુખ્ય રોડ છેલ્લા દોઢેક વર્ષથી બિસ્માર હાલતમાં પડયો છે. વારંવાર પાણી-ગટર લાઇનોના ખોદકામથી આખો રોડ તૂટી ગયો છે. તેની આજદીન સુધી મરામત પણ કરાઇ નથી. જેને લઇને હજારો રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.
આ અંગે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ દોઢ વર્ષ પહેલા ગટર કામ માટે રોડ ખોદી કઢાયો હતો. કાચી માટીનું પુરાણ કરીને મેટલ પાથરી દેવાયા છે. પરંતુ રોડ સરખો કરીને ડામર પાથરીને પાકો બનાવાયો નથી. જેને લઇને કપચી-ધૂળના કારણે વારંવાર અકસ્માતો થઇ રહ્યા છે.
(5:41 pm IST)