ગુજરાત
News of Saturday, 15th February 2020

બાવળામાં ૨૫મીએ અમિતભાઈ શાહની હાજરીમાં ૯૦૦૦ દિવ્યાંગોને સહાય વિતરણ

રાજકોટ, તા. ૧૫ :. અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે તા. ૨૫મીએ સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં દિવ્યાંગોનો મોટો કાર્યક્રમ યોજાનાર છે. ૯૦૦૦ જેટલા દિવ્યાંગોને સાધન સહાય વિતરણ કરવામાં આવનાર છે. ભૂતકાળમાં રાજકોટમાં વડાપ્રધાન મોદીના હસ્તે ૧૬૦૦૦ દિવ્યાંગોને સહાય વિતરણ કરવામાં આવેલ. ત્યાર પછીનો રાજ્યનો દિવ્યાંગ સહાયનો આ બીજા નંબરનો કાર્યક્રમ બનશે.

અમદાવાદમાં તા. ૨૪મીએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ આવી રહ્યા છે. તેના બીજા જ દિવસે બાવળામાં અમિતભાઈનો કાર્યક્રમ છે. ભાજપ અને વહીવટી તંત્ર બન્ને કાર્યક્રમોની તૈયારીમાં વ્યસ્ત છે.

(3:44 pm IST)