ગુજરાત
News of Saturday, 15th February 2020

ડેડીયાપાડાના કેવડી ગામના માનસિક બીમાર યુવાને પંખા સાથે દોરડું બાંધી ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

માનસિક બીમારી કંટાળેલા યુવાને પોતાની મતાને દુકાને મોકલી ફાંસો ખાઈ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના કેવડી ગામના માનસિક બીમાર યુવાને પોતાના ઘરમાં જ પંખા સાથે દોરડું બાંધી ફાસો ખાઈ લેતા પોલીસે અ. મોત નોંધી તપાસ હાથ ધરી છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર કેવડી ગામમાં રહેતા રાજેન્દ્રભાઇ માનસીંગભાઇ વસાવા (ઉ.વ.આ.૨૨)છેલ્લા બે ત્રણ મહીનાથી માનસીક બીમારીથી પીડાતા હોઇ જેથી ગત તારીખ ૧૧ ફેબ્રુઆરીએ તેની માતાને દુકાને પડીકી લેવા મોકલી આપ્યા બાદ પોતાના ઘરમા પંખાના હુક સાથે દોરડુ બાંધી કોઇ કારણસર જાતે ગળે ફાંસો જતા તેને પ્રથમ સારવાર સરકારી દવાખાના ડેડીયાપાડા બાદ સીવીલ હોસ્પિટલ રાજપીપળા ખાતે કરાવ્યા બાદ વધુ સારવાર માટે તા.૧૨ ફેબ્રુઆરીના રોજ SSG હોસ્પિટલ વડોદરા ખાતે રીફર કરતા સારવાર દરમ્યાન તા.૧૪ ના રોજ તેનું મોત થતા પોલીસે અ. મોત નોંધી તપાસ હાથ ધરી છે.

(2:31 pm IST)