News of Friday, 15th February 2019
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાને પગલે ગુજરાતમાં એલર્ટ : દરિયાકિનારા સહિતની સરહદો પર નાકાબંધી :બાજ નજર
જમ્મુ-કાશ્મીરમાં સેના પર થયેલા આતંકી હુમલાને પગલે ગુજરાતમાં પણ એલર્ટ અપાયું છે. આઈબીએ રાજ્યભરમાં એલર્ટ આપ્યું છે. ગુજરાતના દરિયાકિનારા સહિત રાજ્યોને જોડતી સરહદો પર નાકાબંધી સહિત એલર્ટ આપવામાં આવ્યું છે. જેને પગલે રાજ્યમાં સુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગુજરાત દરિયાઈ અને જમીન સરહદથી જોડાયેલું છે.
(1:04 am IST)