વડોદરામાં પરિણીતા ભેદી સંજોગોમાં લાપતા થતા શોધી કાઢવા હાઇકોર્ટનો આદેશ
વડોદરા તા.૧૬ : મહિનાથી પરિણીતા લાપતા થતા તેમને શોધી કાઢવા માટે હાઇકોર્ટે આદેશ કર્યોછે.
પ્રાપ્ત માહિતી મુજબ ગોત્રીના કમ્પ્યુટર કલાસમાં ગયા બાદ ભેદી સંજોગોમાં લાપતા થયેલી પરિણીતાનો છ મહિનાથી વધુ સમય થઇ ગયો હોવા છતા કોઇ પત્તો નહી લાગતા તેના પીયરીયાએ હાઇકોર્ટનો આશરો લીધો છે.
પિયરીયાએ હેબિઅસ કોર્પસ દાખલ કરતા પરિણીતાને શોધી કાઢવા હાઇકોર્ટે આદેશ.
નડીયાદની ભ્રાંતીન લગ્ન ૧૭ વર્ષ પહેલા સચીન વકીલ સાથે થયા હતા અને એક પુત્રનો જન્મ પણ થયો હતો ગોત્રીના ગદાપુરા વિસ્તારમાં વીઆઇપી સોસાયટીમાં રહેતી ૩૮ વર્ષીય પરિણીતા ભાગી ગઇ તા. ર૬/૭/ર૦૧૭ ના રોજ સાંજે પ-૩૦ વાગ્યે ઇસ્કોન મંદિર સામેના કમ્પ્યુટર કલાસમાં ગઇ હતી અને ત્યારબાદ તેનો કોઇ પત્તો નથી.
બનાવ અંગે ગોત્રી પોલીસે ગુમ થયાની નોંધ તપાસ હાથ ધરી હતી પરંતુ ભ્રાંતીના હજી સુધી કોઇ સગડ મળ્યા નથી આખરે આ બાબતે તેના પિયર પક્ષે દિલીપભાઇ તલાટીએ હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ દાખલ કરતા અદાલતે ભ્રાંતીને શોધી કાઢવા હુકમ કર્યો છે.
બનાવ અંગે ગોત્રીના પીઆઇજીએ સરવૈયાએ કહ્યું છે કે, પોલીસની તપાસમાં બનાવને દિવસે ભ્રાંતીએ કલાસમાં હાજરી હોવાનું જણાઇ આવ્યું છે પોલીસે તેના પિયરીયા સાસરીયા અને મિત્ર વર્તુળ સહિત સંખ્યાબંધ લોકોના નિવેદન લીધા છે. અને હજી આ શોધખોળ કરવામાં આવી રહી છે.