વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પદ આપવા કોંગ્રેસની માંગઃ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી પાઠવ્યો પત્રઃ મોહનસિંહ રાઠવા બની શકે છે ડેપ્યુટી સ્પીકર
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચુંટણી ૧૯ ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. અત્યારે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે નીમાબેન આચાર્ય જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે નવા અધ્યક્ષ તરીકે વડોદરાની રાવપુરા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ત્રિવેદીનુ નામ લગભગ નક્કી મનાઈ રહ્યુ છે. ત્યારે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ડેપ્યુટી સ્પિકરનુ પદ કોંગ્રેસને મળે તેવી માંગ કરી છે.
છેલ્લે કેશુભાઈની સરકારમાં કોંગ્રેસને ડેપ્યુટી સ્પિકરનુ પદ અપાયુ હતું. સામાન્ય રીતે વિપક્ષને જ ડેપ્યુટી સ્પિકર પદ મળતુ હોય છે. પરંતુ નરેન્દ્ર મોદીના સમયમાં ભાજપને મળેલ જંગી બહુમતના જોરે ભાજપે ડેપ્યુટી સ્પિકર પદ પણ પોતાની પાસે રાખ્યુ હતું. જોકે આ વખતે વિધાનસભાનુ ચિત્ર બદલાયુ છે. જેમાં કોંગ્રેસ એક મજબુત વિપક્ષની ભૂમિકામાં છે. જેથી ડેપ્યુટી સ્પિકરનુ પદ કોંગ્રેસને આપવાની ફરજ પડી શકે છે.
દરમિયાન કોંગ્રેસે મોહનસિંહ રાઠવાની આ પદ પર નિમણૂંક કરવાની કવાયત કોંગ્રેસે હાથ ધર્યાનું જાણવા મળે છે. પરેશ ધાનાણીએ અત્યારે પોતાના પત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને સકારાત્મક ઉત્ત્।ર આપવા માટે આવતીકાલ સુધીની સમય મર્યાદા આપી છે. જો ભાજપ આ મામલે કોઈ સકારાત્મક ઉત્ત્।ર નહીં આપે તો ડેપ્યુટી સ્પિકર પદની પણ ચુંટણી થશે. જેમાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોની સંખ્યાના આધારે જીત મેળવી શકે છે.