ગુજરાત
News of Thursday, 15th February 2018

કપડવંજના આંબલીયારાની નહેરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા તપાસ શરૂ

નડિયાદ : કપડવંજ તાલુકાના આંબલીયારા ગામની સીમમાં નર્મદા નહેરના આયફન ગરનાળામાંથી ગઈકાલે બપોરે એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. આ અજાણ્યો પુરૂષ ૩૦ થી ૩૫ વર્ષના આશરાનો હોવાનું જણાઈ આવેલ છે. આ અજાણ્યા પુરૂષનું અકસ્માતે નહેરમાં પડી જતાં તણાઈ ગયો કે પછી નહેરમાં પડી આપધાત કર્યો તે અંગે તરેહ-તરેહની અટકળો થઈ રહી છે. આ અજાણ્યા પુરૂષની ફોગાઈ ગયેલી લાશનો કબજો લઈ કપડવંજ ટાઉન પોલીસે સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. કપડવંજ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેના વાલીવારસોની શોધખોળ હાથ ઘરી છે.

(5:57 pm IST)