News of Thursday, 15th February 2018
આણંદમાં કૃમિનાશક દવાઓનું શાળામાં વિતરણ
આણંદઃ રાષ્ટ્રીય ક્રુમિ મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે અર્બન હેલ્થ સેન્ટર - નેહરુબાગની તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં ક્રુમિનાશક દવાઓનું વિતરણ કરેલ છે. જેમાંથી આણંદ બાલશાળામાં આરબીએસકે મેડિકલ ઓફિસર ડો. ધારા જે. જાની, કિશોરભાઈ વિંઝોડા અને કિરણ રાવલજીની હાજરીમાં ક્રુમિનાશક દવાઓ વિદ્યાર્થીઓને ગળાવવામાં આવેલ છે. તેમજ આ દિવસ વિશે શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીગણને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
(9:08 am IST)