News of Wednesday, 14th February 2018
બનાસકાંઠાના અંબાજીમા દબાણ હટાવ ટીમને ઘેરાવઃ કામગીરી વગર પરત ફરવુ પડ્યુ
બનાસંકાઠાઃ અંબાજીમાં દબાણ હટાવ કામગીરી દરમિયાન લોકોએ પાલિકાની ટીમને ઘેરાવ કરીને રોષ ઠાલવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજ અંબાજીમા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામા દબાણ હટાવ કામગીરી કરી હતી.
આ દરમિયાન આદિવાસીઓએ પ્રાંત અધિકારીના વાહનોનો ઘેરાવ કર્યો હતો. બાદમાં ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ૬૦ જેટલા પોલીસ અધિકારીઓનો કાફલો ખડકી દેવાયા બાદ પાલિકાટીમને કામગીરી કર્યા વગર પરત ફરવુ પડ્યુ હતુ.
(4:28 pm IST)