ગુજરાત
News of Saturday, 15th January 2022

નર્મદા જિલ્લામાં શુક્રવારે 07 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે 07 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા શહેર અને નાંદોદ તાલુકામાં આજે એકપણ પોજેટિવ કેસ નોંધાયો નથી,ગરુડેશ્વર તાલુકામાં 01, તિલકવાડા તાલુકામાં 03 દેડીયાપાડા તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી જ્યારે સાગબારા તાલુકામાં 03 કેસ સાથે નર્મદા જિલ્લામાં આજે કુલ 07 પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૭ દર્દી સારવાર હેઠળ દાખલ છે,કોવિડ કેર સેન્ટર માં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં 80 દર્દી દાખલ છે. આજે વધુ 14 સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(11:05 am IST)