ગુજરાત
News of Saturday, 15th January 2022

રાજ્‍ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી જગદીશભાઇ પંચાલે ઉતરાયણ નિમિતે અમદાવાદમાં કરૂણા અભિયાન અંતર્ગત પતંગ દોરાથી ઇજાગ્રસ્‍ત પક્ષીઓના સારવાર કેન્‍દ્રોની મુલાકાતે

રાજકોટ : રાજય કક્ષાનાᅠ વન અને પર્યાવરણ મંત્રી જગદીશભાઈ પંચાલ એ ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદ શહેરમા કરૂણા અભિયાન અંતર્ગત પતંગ દોરાથી ઈજાગ્રસ્‍ત પક્ષીઓના સારવાર કેન્‍દ્રોની મુલાકાત લીધી હતી. જગદીશભાઈ પંચાલએ બોડકદેવ સ્‍થિત વન વિભાગના વાઈલ્‍ડલાઇફ કેર સેન્‍ટરમા ધાયલ પક્ષીઓની સારવારનુ નિરિક્ષણ કરી મહત્‍વના સૂચનો કર્યા હતા. તેઓએ વાઈલ્‍ડલાઇફ ઈન્‍ટરપ્રીટેશન સેન્‍ટરની પણ મુલાકાત લઈ, પ્રતીકાત્‍મક વૃક્ષારોપણ કર્યુ હતુ. શાળાના બાળકો સેન્‍ટરની મુલાકાત લઈ વન્‍ય પ્રાણીઓ અને તેના સંરક્ષણ અંગે માહિતગગાર અને જાગૃત થાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવવાᅠ મંત્રીએ સૂચના આપી હતી.

 

(10:35 am IST)