ગુજરાત
News of Wednesday, 15th January 2020

સુરતના અમરોલીમાં તસ્કરો ત્રાટક્યા : મારૂતીધામ સોસાયટીમાં છ મકાનોને નિશાન બનાવ્યા : ફફડાટ

ઉત્તરાયણમાં બહાર ગામ ગયા હોય તેવા ધરને જ તસ્કરોએ ટાર્ગેટ કર્યા

સુરતના અમરોલી વિસ્તારમાં તસ્કરોએ  ઉત્તરાયણના દિવસે જ છ મકાનોને નિશાન બનાવી લાખોની માલમતાની ચોરી કરી છે અમરોલીમાં રાત્રી દરમિયાન મારુતિ ધામ સોસાયટીમાં ચોરોએ 6 જેટલા ઘરને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. લાખો રૂપિયાની ચોરી થયાનું અનુમાન સામે આવ્યું છે.

 બીજીતરફ ચોરીને લઈ અમરોલી પોલીસના નાઈટ પેટ્રોલિગ પર અનેક સવાલો સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે. ઉત્તરાયણમાં બહાર ગામ ગયા હોય તેવા ધરને જ તસ્કરોએ ટાર્ગેટ કર્યા હતા. અંદાજે સાતથી આઠ લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે.

(12:05 pm IST)