આણંદ-સોજીત્રા રોડ પર શાકભાજી લઈને જતી રીક્ષા વહેલી સવારે પલટાઈ જતા ચાલકનું ઘટનાસ્થળેજ મૃત્યુ નીપજ્યું
આણંદ :આણંદ-સોજિત્રા રોડ ઉપર આવેલ સંદેશર ચોકડી નજીક આજે વહેલી સવારના સુમારે શાકભાજી ભરીને પસાર થતી એક રીક્ષા વીજ પોલ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષાચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે રીક્ષામાં સવાર અન્ય એક યુવકને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ પાડગોલ ગામના મેલાભાઈ પૂનમભાઈ સોલંકી (ઉં.વ.૩૫) આજે વહેલી સવારના સુમારે પોતાની સીએનજી રીક્ષામાં મિત્રને બેસાડી આણંદની મોટી શાકમાર્કેટ ખાતે શાકભાજીની ખરીદી અર્થે આવ્યા હતા. જ્યાંથી શાકભાજીનો જથ્થો રીક્ષામાં ભરી આ બંને યુવકો પાડગોલ પરત જવા નીકળ્યા હતા.