ગુજરાત
News of Tuesday, 14th January 2020

પાદરા-જંબુસર નજીક એઇમ્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર સહીત ત્રણ વિરુદ્ધ 20 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા

પાદરા: જંબુસર રોડ પર ગવાસદ ગામ પાસે આવેલી એઇમ્સ ઈન્ડસ્ટ્રિઝ  પ્રા.લી. કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટમાં કામદારોના મોતની  ઘટનાની વડુ પોલીસે નોંધેલી ફરિયાદ બાદ કંપનીના એક ડાયરેક્ટર સહિત ત્રણની  ધરપકડ કરી પોલીસે આજે ત્રણેયને કોર્ટમાં રજૂ કરી તા.૨૦ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

એઈમ્સ ઈન્ડસ્ટ્રિઝ  પ્રા.લી. કંપનીના સંચાલકોની બેદરકારીના કારણે બનેલી પ્રચંડ ધડાકાની ઘટનાએ કંપનીમાં કામ કરતા કામદારોનો ભોગ લીધો હતો. એઈમ્સ કંપનીના માલિક સિદ્ધાર્થ પટેલ, તેમના પુત્ર ડાયરેક્ટર શ્વેતાંશુ પટેલ, ડાયરેક્ટર સત્યકુમાર બાલ નાયર તેમજ કંપની પ્લાન્ટ મનેજર અશોક અગ્રવાલ અને ઓપરેટર કમ સુપરવાઈઝર રાજુ રાઠવા સામે વડુ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. બાદમાં પાંચ  પૈકી ત્રણ આરોપીઓ ડાયરેક્ટર સત્યકુમાર બાલ નાયર (રહે.મધુરમ ફ્લેટ, ઘોડાપુર, અમદાવાદ), પ્લાન્ટ મેનેજર અશોક અરૃણકુમાર અગ્રવાલ(રહે.નવનીતપાર્ક સોસાયટી, મનિષા ચોકડી પાસે, વડોદરાઅને ઓપરેટર કમ સુપરવાઈઝર રાજુ  કરાયેલા રાઠવા(રહે.વૈકુંઠ સોસાયટી, બાપોદ જકાતનાકા, વડોદરા) ની ધરપકડ કરવામાં આવી હતી.

 

(1:41 pm IST)