અમદાવાદના નરોડામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે વિકૃતતાની હદ વટાવી: યુવતીને ઘરે જઈ એસિડ છાંટવાની ધમકી આપી
અમદાવાદ: શહેરના નરોડામાં એક તરફી પ્રેમમાં પાગલ વિકૃત યુવકે હદ વટાવી દીધી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભર બપોરે ઘરમાં ઘુસી આવીને યુવતીને ધમકી આપી હતી કે તુ મારા સિવાય બીજા કોઇ સાથે લગ્ન કરીશ તો શરીર પર એસિડ છાંટી દઇશ, એટલું જ નહી શારિરીક છેડછાડનો યુવતીએ પ્રતિકાર કરતા લાફા મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. કૃષ્ણનગર પોલીસે ગુનો નોધીેને આરોપીની શોધખોળ હાથ ધરી છે, ગુનાની ગંભીરતા ધ્યાને રાખીને પોલીસે યુવતીના ઘરે સુરક્ષા પણ પુરી પાડી છે.
આ કેસની વિગત એવી છે કે નરોડા વિસ્તારમાં રહેતી યુવતીના પરિવારજનો બહાર ગામ ગયા હોવાથી રવિવારે તે ઘરમાં એકલી હતી. આ સમયે નરોડામાં રહેતો પીયુષ .કે.ચાવડા નામનો યુવક બપોરે ૧ વાગે તેના ઘરમાં આવી પહોચ્યો હતો અને યુવતીને ગાળો બોલીને શારિરીક છેડછાડ કરીને ધમકી આપી હતી કે જો તુ મારા સિવાય બીજા કોઇની સાથે લગ્ન કર્યા છે તો તારા ઉપર એસિડ એટેક કરી જાનથી મારી નાંખીશ. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.આર. ચૌેધરીના જણાવ્યા મુજબ યુવક અગાઉ પણ યુવતીને હેરાન કરતો હોવાની ફરિયાદ થઇ હતી. પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને યુવકની શોેધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, તેમજ યુવતીના ઘરે એક મહિલા તથા પુરુષ પોલીસનો રાઉન્ડ કલોક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.