News of Tuesday, 15th January 2019
અલ્પેશ કથિરિયાની રાજદ્રોહ કેસમાં જમીન અરજી રદ :હવે ફરીથી જવું પડશે જેલમાં
જમીન અરજી રદ કરવાના ફેંસલાને હાઇકોર્ટમાં પડકારાશે :
સુરત :રાજદ્રોહ કેસમાં પાસના નેતા અલ્પેશ કથીરીયાની મુશ્કેલી વધી છે. સુરતની કોર્ટે અલ્પેશના જામીન રદ કર્યા છે. સુરત પોલીસે અલ્પેશ કથીરીયાના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે અલ્પેશના જામીન રદ કરતા મોટો ઝટકો આપ્યો છે. જેથી અલ્પેશે ફરી જેલમાં જવું પડી શકે છે
. જોકે અલ્પેશના વકીલો આ કેસને હાઈકોર્ટમાં પડકારશે. અલ્પેશ કથીરીયાને શરતી જામીન આપ્યા હતા. અલ્પેશ સામે કાયદો અને વ્યવસ્થાનું પાલન ન કરવાનો આક્ષેપ લાગ્યો હતો.
(6:10 pm IST)