ગુજરાત
News of Tuesday, 15th January 2019

''પવન તો કમળની ખેતીને વાઢીને સાફ કરી નાખે એવો છે '' :ઉતરાયણના પવન વિષે રેશ્મા પટેલનો પ્રત્યુત્તર !!

 

અમદાવાદ ;પાટીદાર અનામત આંદોલન બાદ મહિલા નેતા તરીકે ઉભરી આવેલા અને ત્યારબાદ ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા રેશમા પટેલે કહ્યું કે મને આજે લોકો મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે, સાથે કોલ કરી પૂછી રહ્યાં છે કે રેશમાદીદી પવન કેવો છે ?

  રેશ્મા પટેલે કહ્યું કે તેમના સવાલ પર હું હસીને કહ્યાં વગર રહી નથી શકતી કે પવન તો કમળની ખેતીને વાઢીને સાફ કરી નાખે એવો છે, પણ જોવાનું રહેશે કે પંજો કેટલું વાઢીને સાફ કરી શકશે.

(11:28 pm IST)