News of Thursday, 14th December 2017
આણંદ તાલુકાના ખેરડામાં નજીવી બાબતે કાકા-ભત્રીજાને મારમારનાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
આણંદ:તાલુકાના ખેરડા ગામની સીમમાં સરગવાની સીંગો પાડવા બાબતે કાકા-ભત્રીજાને માર મારતાં આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ખેરડા તાબેના વાવપુરા ખાતે રહેતા રમણભાઈ લલ્લુભાઈ ભોઈ આજે બપોરના સુમારે પોતાના ભત્રીજા જગદીશ વગેરેને લઈને ખેતરમાં સીંગો પાડવા માટે ગયા હતા અને આંકડીથી સીંગો પાડતા હતા ત્યારે રાજેશભાઈ જયંતિભાઈ ભોઈ તથા કિરણ જયંતિભાઈ ભોઈ આવી ચઢ્યા હતા અને તમે અમારી આંકડીથી સીંગો કેમ પાડો છો ? તેમ જણાવીને ઝઘડો કર્યો હતો અને રાજેશભાઈએ પોતાની હાથમાની લાકડી રમણભાઈને માથામાં મારી દીધી હતી. કિરણભાઈએ હાથમાનું ધારીયું જગદીશભાઈને મારવા જતાં તેઓ નમી જતાં જમણી આંખ નજીક ધારીયું વાગતા લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા.
(5:45 pm IST)