ગુજરાત
News of Thursday, 14th December 2017

ગુજરાતમાં પરિવર્તનનું વાવાઝોડુ : સિદ્ધાર્થ પટેલ

કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધાર્થ પટેલે મતદાન કર્યા બાદ પત્રકારોને જણાવ્યુ કે ગુજરાતમાં પરિવર્તનનું વાવાઝોડુ ફૂંકાઈ રહ્યુ છે, પ્રથમ તબક્કામાં કોંગ્રેસ તરફી જોરદાર મતદાન થયા બાદ બીજા તબક્કામાં પણ અમારી તરફે મતદાન થઈ રહ્યુ છે : ગુજરાતમાં ૨૨ વર્ષના શાસનમાં જનતા હવે વાકેફ થઈ ગઈ છે, અને હવે સત્યની સાથે રહેવા માગે છે : જનતા કોંગ્રેસને જ સમર્થન આપશે તેવો મને વિશ્વાસ છે.

(4:21 pm IST)