પરિવાર સાથે મતદાન કરી લોકશાહીનું પર્વ મનાવતા ભરત પંડયા
અમદાવાદ : ભાજપનાં પ્રદેશ પ્રવકતા શ્રી ભરત પંડયાએ પરિવાર સાથે મતદાન કરીને જણાવ્યું હતું કે, આજે લોકશાહીનોઉત્સવ છે. એક તરફ નર્મદા વિરોધી લોકો છે. બીજી તરફ નર્મદાને લાવનારા લોકો છે. એક તરફ વિકાસ વિરોધી લોકો છે. બીજી તરફ વિકાસ કરનારા લોકો છે. એક તરફ ગુજરાતને બદનામ કરવાવાળા લોકો છે. બીજી તરફ ગુજરાતને ગૌરવ અપાવનારા લોકો છે. એક તરફ ગુજરાતના નેતૃત્વ વિરોધી લોકો છે અને બીજી તરફ ગુજરાતનું નેતૃત્વ આજે દેશનું નેતૃત્વ કરે છે. ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે દેશના પ્રધાન મંત્રી છે. ગુજરાતની જનતા અને મોદી એક સિક્કાની બે બાજૂ છે. લોકસભાની જેમ જ વિધાનસભામાં પણ ગુજરાતની જનતા શાંતિ, એકતા અને વિકાસની સાથે રહેશે અને ભાજપને ભવ્ય વિજયી બનાવશે તેવો અમને વિશ્વાસ છે.