ગુજરાત
News of Thursday, 14th December 2017

મોદીના રોડશોથી વિવાદ : આચારસંહિતા ભંગની ફરીયાદ

ચૂંટણીપંચે અમિત શાહની પત્રકાર પરિષદ સામે કેમ પગલા ન લીધા : અશોક ગેહલોત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યા બાદ રોડ શો કરતા આચારસંહિતાનો ભંગ કર્યો હોય ચૂંટણીપંચે કેમ હજુ સુધી પગલા ન લીધા હોવાનો આક્ષેપ કોંગી દિગ્ગજ નેતા અશોક ગેહલોતે કર્યો છે, તેઓએ જણાવેલ કે જો વડાપ્રધાન જ આચારસંહિતાનો ભંગ કરે તો બીજાને શું કહીશું, ચુંટણીપંચ બે માપદંડ અનુસરે છે : આ મામલે ચૂંટણીપંચે માત્ર કાર્યવાહીનું આશ્વાસન આપ્યુ છે, ચૂંટણીપંચ મોદીના દબાવ હેઠળ કામ કરે છે

(4:19 pm IST)