ગુજરાત
News of Thursday, 14th November 2019

અમદાવાદમાં જૈન સંપ્રદાયના જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા : ઓપેરા જૈન ઉપાશ્રયે દર્શન માટે ભીડ જામી : કાલે સવારે પાલખીને પ્રસ્થાન કરાવાશે

અમદાવાદ જૈન સંપ્રદાયના જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા છે. બુધવારે બપોરે 3 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. જયઘોષસુરિશ્વરજી મહારાજ સાહેબને ફેફસામાં ચેપ લાગતા ગત્ત 6 તારીખથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.

જીવદયા અને અહિંસાના હિમાયતી જયઘોષસુરિશ્વરજી મહારાજની વિદાયથી જૈન સંપ્રદાયમાં શોકની લાગણી પ્રવર્તી ગઇ છે. પાલડી ખાતે આવેલા ઓપેરા જૈન ઉપાશ્રય ખાતે દર્શન માટે ભક્તોની ભીડ જામી છે. પાલખી અંગનો ચઢાવા ઓપેરા હાઉસ ખાતે સવારે આઠ વાગે બોલાવવામા આવશે. ત્યારબાદ પાલખીને પ્રસ્થાન કરાવવામાં આવશે.

પાલખીના રૂટ મુજબ  ઓપેરા હાઉસ ખાતેથી સ્મૃતિ મંદિર, પંકજ સોસાયટી, અંજલિ ચાર રસ્તા, ધરણીધર, નહેરુનગર ચાર રસ્તા, શિવરંજની રામદેવ નગર ચાર રસ્તા, ઇસ્કોન ચાર રસ્તા, જયંતિલાલ પાર્ક બીઆરટીએસ બસ સ્ટોપ અને ત્યારબાદ પાશ્વ લકઝુરિયા ફ્લેટ આંબલી ખાતે પહોંચશે. જ્યાં જયઘોષસૂરિશ્વરજી મહારાજ સાહેબની બપોરે 3 કલાકે અંતિમવિધી કરવામાં આવશે.

ઓપેરા જૈન સંઘ ઉપાશ્રય, પાલડી પૂજયશ્રીના અંતિમ દર્શનનો અપૂર્વ લાભ મળશે પાલખી ચઢાવા તા.૧૪ ગુરૂવાર સવારે કલાકે પાલખી અંગેના ચઢાવા ઓપેરા ઉપાશ્રય ખાતે બોલાવવામા આવશે

(11:20 pm IST)