ગુજરાત
News of Wednesday, 14th November 2018

સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા હજારો લોકો અટવાયા

રાષ્ટ્રીય સ્તરે સોમવારે બંધ રહેશે તેવી જાહેરાતના અભાવે અન્ય રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓને મુશ્કેલી

નર્મદા :સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અટવાયા હતા. સમારકામ અને સારસંભાળના કારણે સરકારે દર સોમવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે, સરકારે આ અંગેની જાહેરાત રાષ્ટ્રીય સ્તરે ન કરતા અનેક પ્રવાસીઓ મુલાકાત લેવા માટે સોમવારે કેવડિયા પહોંચી ગયા હતા.

 તહેવારોના દિવસોમાં દરરોજ 15 હજાર જેટલા લોકો મુલાકાતે આવતા હતા. સોમવારે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી ગયા હતા. જોકે, સ્ટેચ્યૂની મુલાકાત બંધ હોવાથી પ્રવાસીઓએ હોબાળો કર્યો હતો.

(11:23 pm IST)