એસજીવીપી ગુરુકુલ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં સરસ્વતી માતાનું પૂજન - અનુષ્ઠાન
અમદાવાદ તા.૧૪ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી તથા શ્રી અર્જુનાચાર્યજી, પ્રાધ્યાપક શ્રી લક્ષ્મીનારાયજી તથા યજ્ઞવલ્લભદાસજી સ્વામીના વડપણ નીચે આસો સુદ નવમી, ગુરુવારના રોજ ઉજવાતું શ્રી સરસ્વતી માતાનું પૂજન- કરવામાં આવેલ.
સામાન્ય રીતે નવરાત્રીના પ્રારંભે મહાકાલી માતાનું પૂજન મધ્યે મહાલક્ષ્મીદેવીનું પૂજન અને અંતે સરસ્વતી માતાનું પૂજન કરવાનું હોય છે.
સરસ્વતી માતાના પૂજનમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વેદથી માંડીને આચાર્ય કક્ષામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સંતો પોતાના વેદ, વેદાન્ત, પુરાણ, વ્યાકરણ, ન્યાય, ઉપનિષદ વગેરેના તમામ પાઠ્યપુસ્તકો તેમજ ચિત્રો સરસ્વતી માતાની સમક્ષ પધરાવી, ષોડશોપચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું. આ રીતે બે દિવસ સુધી સરસ્વતી માતાનું પૂજન અને અનુષ્ઠાન કરવામાં આવશે. આ રીતે બંને દિવસ શાળામાં અનધ્યયન રાખી વિજ્યાદશમીના દિવસે સરસ્વતી માતાની પ્રાર્થના સાથે વિદ્યાનો પુનઃ પ્રારંભ કરાશે.