News of Saturday, 14th September 2019
મહીસાગર નદીનું પાણી શહેરાના આઠ ગામોમાં ઘુસ્યું : અધિકારીઓ ગામોની મુલાકાતે પહોંચ્યા
પરિસ્થિતિનો તાગ મેળવીને લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી
મહીસાગર નદીનું પાણી શહેરાના 8 ગામોમાં ઘુસી ગયું હતુ. ત્યારબાદ શહેરા તાલુકાના પુર અસરગ્રસ્ત વિસ્તારની તંત્રએ મુલાકાત લીધી હતી.
શહેરાના પશ્ચિમ વિસ્તારના બોરડી, બાકરીયા, સાદરા, ખરોલી, પોયડા, નાથુજીના મુવાડા, વાડી, વલ્લવપુરની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવીને લોકોને એલર્ટ રહેવાની સૂચના આપી હતી. ગામમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોગચાળો ફેલાવાની પણ શક્યતા જેને લઈને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.
(8:44 pm IST)