ગુજરાત
News of Friday, 14th September 2018

શનિવારે ગાંધીનગરના મહાત્મા મંદિરે પીડિયાટ્રિક સોસાયટી ઓફ ઇન્ડિયાની વાર્ષિક કોન્ફરન્સ :મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત

 

ગાંધીનગર :પીડિયાટ્રીક સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આવતીકાલે તા.૧૫મી સપ્ટેમ્બરે ૧૯મી વાર્ષિક કોન્ફરન્સ યોજાશે જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરાશે

  પીડિયાટ્રીક કાર્ડિયાક સોસાયટી ઓફ ઇન્ડિયા અને યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડીયોલોજી અને રીસર્ચ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૫મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય ક્ક્ષાની ૧૯મી વાર્ષિક કોન્ફરન્સ યોજાશે.મહાત્મા મંદિર ગાંધીનગરના સેમીનાર હોલ- ખાતે યોજાનાર કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શનીતિનભાઇ પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણી (કુમાર) ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપશે એમ પી.સી.એમ. આઇના ચેરમેન દ્વારા જણાવાયું છે.

(9:22 pm IST)