અરવલ્લીના ભિલોડા તાલુકામાં બે શખ્સોએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી
અરવલ્લી: જિલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલપાલ ગામમાં ગઇકાલે બુધવારે બે વ્યક્તિએ ગળાફાંસો ખાઇને જીવતર ટૂંકાવી લેતાં ગામલોકોમાં ચકચાર મચી ગઇ હતી. આત્મહત્યાની આખરી મંઝિલ ઉપર પ્રયાસ કરનાર બે વ્યક્તિમાં પંચોતેર વર્ષની વૃધ્ધા તથા પચીસેક વર્ષના યુવકનો સમાવેશ થતોહતો. ભિલોડા પોલીસે આ બન્ને બનાવો અંગે ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૭૪ હેઠળ આકસ્મિક મોતની જાણવા જોગ નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
કુંડોલપાલ ગામના યુવક પ્રવીણ મનજીભાઇ બોદરે (ઉ.વ. ૨૫) ગઇકાલે તેના ઘરમાં ગળાફાંસો ખાઇને જીવતર ટૂંકાવી લીધું હોવાની જાણ થતાં ભિલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇને મૃતક યુવકની લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
જે દરમ્યાન જાણવા મળ્યું હતું કે, પ્રવીણ બોદરને તેની પત્ની હંસાબેન સાથે ઘરકામની બાબતમાં બોલાચાલી થઇ હતી. આથી રોષે ભરાઇને પત્ની તેની બહેનના ઘેર જવા રવાના થઇ ગઇ હતી. જ્યારે બીજી બાજુ પ્રવીણ બોદરે તેના ઘરમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી દીધો હતો.