News of Sunday, 14th August 2022
ઉમરવા ગામે સુગર ચેરમેન ઘનશ્યામ પટેલની આગેવાની માં તિરંગા યાત્રા નીકળી
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવા ગામમાં આજે તિરંગા યાત્રા યોજાઇ હતી આ યાત્રા ઉમરવા ગામમાં ફરી આસપાસના પંદર ગામોમાં ફરી હતી
ઉમરવા ગામથી આજે સુગર ચેરમેન તથા ભાજપ નાં જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં જિલ્લા કિસાન મોરચા નાં મહામંત્રી આશિષ પટેલ, નાંદોદ તાલુકા પંચાયત નાં ઉપ પ્રમુખ પાયલ બેન દેસાઈ,નાંદોદ બીજેપી પ્રમુખ અરવિંદભાઈ પટેલ, ગામના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડ્યા હતા યાત્રામાં ચેરમેન સહિત નાં અમુક લોકો ઘોડા પર સવાર રહી અનોખા અંદાજમાં તિરંગા યાત્રામાં જોડાયા હતા ઉમરવા ગામ બાદ આ તિરંગા યાત્રા આસપાસના પંદર ગામોમાં ફરી હતી .
(11:02 pm IST)