ગુજરાત
News of Sunday, 14th August 2022

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરમગામ શાખા દ્વારા સ્વાધીનતાનાં અમૃત મહોત્સવના સમાપન પ્રસંગે ત્રિરંગા રેલી યોજાઇ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ૧૪ ઓગસ્ટે સવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરમગામ શાખાનાં કાર્યકર્તાઓએ સ્વાધીનતાનાં અમૃત મહોત્સવના સમાપન પ્રસંગે અન્ય વિદ્યાર્થીઓ અને લોકો સાથે મળીને ૨૮૦ જેટલી સંખ્યામાં ભવ્ય ત્રિરંગા રેલી યોજી હતી. ભારત માતા કી જય અને વંદે માતરમ અને અન્ય નારાઓ સાથે વિરમગામનાં ટાવર થી નીકળી ગોલવાડી દરવાજા, બસ સ્ટેશન, ભરવાડી દરવાજા, પાન ચકલા, કંસારા બજાર, ચોકસી બજાર, બોરડી બજાર, ભાણીબા નાં ચોક, ખાનનો ડેહલો થઈ ટાવર પર પૂરી કરવામાં આવી હતી. તિરંગા રેલીના કારણે વિરમગામના જાહેર માર્ગો પર લોકો દેશભક્તિના અંગે રંગાયેલા જોવા મળ્યા હતા.

(7:51 pm IST)