ગુજરાત
News of Sunday, 14th August 2022

હિન્દુસ્તાન જિંદાબાદનાં નારાથી ગુંજ્યું અમદાવાદનું જુહાપુરા :શાળાના બાળકો ત્રિરંગા યાત્રામાં જોડાયા

જુહાપુરા ખાતે 'ધ ન્યુ એજ હાઈ સ્કુલ' દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન

અમદાવાદ : હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આખા દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શાળા દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમા શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આજે 12 ઓગસ્ટના રોજ અમદાવાદના જુહાપુરા ખાતે 'ધ ન્યુ એજ હાઈ સ્કુલ' દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ ત્રિરંગા યાત્રામાં ધ ન્યુ એજ હાઈ સ્કુલના 2000 જેટલા વિધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ ત્રિરંગા યાત્રા ધ ન્યુ એજ હાઈ સ્કુલથી અમદાવાદના એસઓજી કાર્યાલય સુધી ચાલી હતી. આ ત્રિરંગા યાત્રામાં વિધાર્થીઓમાં જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

આ ત્રિરંગા યાત્રાને કારણે અમદાવાદના જુહાપુરાના રસ્તા હિન્દુસ્તાન ઝિંદાબાદ જેવા દેશભક્તિના નારાઓથી ગૂંજી ઉઠયુ હતુ

(9:50 pm IST)