ગુજરાત
News of Wednesday, 14th August 2019

શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં લદાયેલ ૩૭૦ની કલમ રદ કરતા ગ્રાઉન્ડમાં ચિત્રાંકન રચી અભિનંદન પાઠવતા SGVP ગુરૂકુલના વિદ્યાર્થીઓ

અમદાવાદ : આઝાદીના વખતથી કાશ્મીર ભારતનું અવિભાજય અંગ હોવા છતાં પણ બંધારણીય રીતે નોખું રહી ગયું હતું.

તેને કલમના એક ઝાટકે ૩૭૦ની કલમને શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકાર અને અમીતભાઇ શાહે રદ કરતા જમ્મુ-કાશ્મીર સ્વતંત્ર થયું છે.

ભારત દેશના એકીકરણમાં આ ખુબ જ અગત્યનું પગલું છે. સર્વ રાષ્ટ્રવાદની શકિતઓને પ્રસન્નતા આપનારૂ છે.

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને જયદેવ સોનાગરાની પ્રેરણા તેમજ શાળાના સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ SGVP ઇન્ટરનેશનલ સ્કુલના ૧ર૦૦ વિદ્યાર્થીઓએ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બંધારણની ૩૭૦મી કલમને ચિત્રાંકન કરી શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકાર અને અમિતભાઇ શાહને અભિનંદ આપી રહ્યા છે.

(12:04 pm IST)