ગાંધીનગર સે-24માં પતિના અસહ્ય ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું
ગાંધીનગર:શહેરના સે-ર૪માં રહેતી યુવતિના લગ્ન પલિયડ ખાતે થયા હતા. જયાં તેના પતિ દ્વારા અવારનવાર શારીરીક, માનસિક ત્રાસ આપીને ઘરેણાં અને ભરણપોષણ પેટે આપેલા પૈસા પરત માંગવામાં આવ્યા હતા. એટલું જ નહીં તેણીના માતાપિતાને પણ જાનથી મારી નાંખવાની ધમકી તેણીએ એસિડ ગટગટાવી લીધું હતું. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જે સંદર્ભે તેની ફરિયાદના આધારે સે-ર૧ પોલીસે તેના પતિ સામે ગુનો નોંધ્યો છે.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સે-ર૪ ડબલડેકર મકાન નં.૩૬૮માં રહેતા દક્ષાબેન પ્રજાપતિના લગ્ન પાંચ વર્ષ અગાઉ પલિયડ ખાતે રહેતા વિજયભાઈ મથુરદાસ પ્રજાપતિ સાથે થયા હતા. તેમના લગ્ન સમાજના સમુહલગ્નમાં યોજાયા હતા અને આ લગ્ન જીવનથી એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. દહેજ બાબતે તેમના પતિ દ્વારા અવારનવાર તેમને ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.