'સતી પર સતો'
અમદાવાદઃ સતીશ અને સાવિત્રી બંને ર્ીએક બીજાને પ્રેમ કરતાં હોય છે પરંતુ એક બાબાના કહેવા પ્રમાણે સતીશને જીવનમાં પ્રેમ નહિ મળે અને સાવિત્રીને પૈસા નહિ મળે. સાવિત્રી મહત્વાકાંક્ષી હોય છે અને એવું માને છે કે પૈસા થકી જ એક મજબુત જીવનશૈલી જીવી શકાય છે તેથી તે સતીશને છોડી દે છે. સાવિત્રીની સહેલીઓ તેની મુલાકાત તેઓના એક પૈસાદાર મિત્ર રોની જોડે કરાવે છે અને રોની સાવિત્રી પર તેના પપ્પાના પૈસા વાપરતો હોય છે જેનાથી સાવિત્રી અજાણ હોય છે. બીજી બાજુ સતીશ સાવિત્રીને તેના જીવનમાં ફરી લાવવા માટે પૈસા કમાવવા પાછળ ખુબ મહેનત કરે છે પરંતુ તે તેના બોસના ખૂનના ગુનામાં ફસાઇ જાય છે. સાવિત્રી સ્તબ્ધ થઇ જાય છે જયારે તે જોવે છે કે તેના જીવનમાં પૈસા નથી જયારેે સતીશના જીવનમા પ્રેમ નથી. આગળ આવનારી ઘટનાઓ 'સતી પર સતા' ની સ્ટોરી છે. (તસ્વીર કેતન ખત્રી.અમદાવાદ)