ગુજરાત
News of Thursday, 14th June 2018

નર્મદાના મોટાભાગના શિક્ષકો જ દારૂ-જુગારના રવાડે :બાળકોને કેવી રીતે ભણાવી શકે ;ભાજપના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો

 

રાજપીપળાના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ  પ્રવેશોત્સવના કાર્યક્રમમા હાજરી આપી હતી. કાર્યક્રમમાં મનસુખ વસાવાએ શિક્ષકો પર આક્ષેપ કર્યા હતા. દરમિયાન તેમણે આક્ષેપ કરતા કહ્યુ કે, ખરાબ પરિણામના કારણે શિક્ષકો જવાબદાર છે.ત્યાર બાદ તેમણે કહ્યુ કે, નર્મદાના 60થી 70 ટકા જેટલા શિક્ષકો જુગાર રમે છે. વધુમાં કહ્યું કે, શિક્ષકો દારૂ પણ પીવે છે. દારૂ અને જુગાર રમનાર શિક્ષકો બાળકોને કેવી રીતે ભણાવી શકે છે.

(9:22 am IST)