News of Thursday, 14th June 2018
નર્મદાના મોટાભાગના શિક્ષકો જ દારૂ-જુગારના રવાડે :બાળકોને કેવી રીતે ભણાવી શકે ;ભાજપના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો
રાજપીપળાના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પ્રવેશોત્સવના કાર્યક્રમમા હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ શિક્ષકો પર આક્ષેપ કર્યા હતા. આ દરમિયાન તેમણે આક્ષેપ કરતા કહ્યુ કે, ખરાબ પરિણામના કારણે શિક્ષકો જવાબદાર છે.ત્યાર બાદ તેમણે કહ્યુ કે, નર્મદાના જ 60થી 70 ટકા જેટલા શિક્ષકો જુગાર રમે છે. વધુમાં કહ્યું કે, શિક્ષકો દારૂ પણ પીવે છે. દારૂ અને જુગાર રમનાર શિક્ષકો બાળકોને કેવી રીતે ભણાવી શકે છે.
(9:22 am IST)