ગુજરાત
News of Thursday, 14th June 2018

સુરતમાં દબાણ હટાવ કામગીરી વેળાએ વૃઘ્ધનું હાર્ટએટેકથી મોત

પરિવારજનોએ કર્યો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર ;સ્થિતિ વણસતા મનપા ટીમએ કામ અટકાવી પરત

 

સુરતઃ શહેરનાં કતારગામ ઝોનમાં મનપાની ટીમે દબાણ હટાવ કામગીરી દરમિયાન એક વૃદ્ધનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે તે વૃદ્ધને એકાએક ઘટનાસ્થળે હાર્ટઅટેક આવી ગયો હતો. હાર્ટએટેકનાં કારણે તે વૃદ્ધને હોસ્પિટલ લઈ જતાં તે વૃદ્ધનું રસ્તામાં મોત નિપજ્યું હતું.જેથી વૃદ્ધનાં પરિવારે એવો આક્ષેપ લગાવ્યો હતો કે,"મનપાની ટીમ નોટિસ વગર દબાણ હટાવવા આવી પહોંચી હતી અને વૃદ્ધે કેટલાંક પુરાવા પણ આપ્યાં છતાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ પરિવારજનોએ વૃદ્ધનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. મામલે પરિસ્થિતી વણસી જતાં મનપાની ટીમે બાદમાં તત્કાલિક ધોરણે કામ અટકાવીને તેઓ પરત ફર્યા હતાં."

 

(10:20 pm IST)