ગાંધીનગર શહેર નજીક રાયપુરમાં બે બાળકી સાથે નદીમાં ઝંપલાવનાર મહિલા વિરુદ્ધ ફરિયાદ
ગાંધીનગર: શહેર નજીક આવેલા રાયપુર નર્મદા કેનાલમાં બે દિવસ અગાઉ બે બાળકીઓ સાથે પડનાર મહિલાનો બચાવ થયો હતો જ્યારે તેની બે બાળકીઓના મોત નીપજયા હતા. આ મામલે હવે તેના પતિની ફરીયાદના આધારે ડભોડા પોલીસે મહિલા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. વતનમાં જતી વખતે પતિ સાથે ઝગડો કરી આ મહિલા રસ્તામાં જ ઉતરી ગઈ હતી અને બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. વતનમાં જતી વખતે પતિ સાથે ઝગડો કરી મહિલા ઉતરી ગઈ હતી અને બાદમાં કેનાલમાં પડી હતી ગાંધીનગર શહેર નજીક આવેલા રાયપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગત રવિવારે બપોરના સમયે અમદાવાદના સૈજપુર ખાતે રહેતી મહિલા હંસાબેન તેની બે બાળકીઓ સાત વર્ષીય હર્ષિદા અને ચાર વર્ષીય ખુશી સાથે દુપટ્ટો બાંધીને કેનાલમાં પડી હતી. તેથી ત્યાં હાજર સિક્યોરીટીના જવાનો મહિલા હંસાબેનને બચાવી લીધી હતી જ્યારે બે બાળકીઓના ડુબી જવાના કારણે મોત નીપજયા હતા.