આણંદના બાકરોલમાં મોડીરાત્રે જૂથ અથડામણ: 1નું મોત : ભારે પથ્થરમારો વાહનોમાં તોડફોડ
બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચક્યો : ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
આણંદના બાકરોલમાં મોડી રાતે બે જૂથો વચ્ચે બોલાચાલી થતા થતા વાતાવરણ તંગ બન્યું હતું. જેમાં એકબીજા સામે પથ્થરમારો કરાયો હતો જેમાં એકનું મૃત્યું થયું છે.ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ મળતી માહિતી પ્રમાણે આણંદના બાકરોલ ગામમાં બે જૂથો વચ્ચે મોડી રાતે બોલાચાલી થતાં અથડામણ થઇ હતી. જેમાં એકબીજા સામે પથ્થરમારો થયો હતો. ઉપરાંત નાના મોટા વાહનોમાં પણ તોડફોડના બનાવ બન્યાં હતાં.ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી જેમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું છે
. આ ઘટનનાને પગલે ગામ લોકોમાં પણ એકબાજુ ડર તો બીજીબાજુ રોષનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા કોઇ અનિચ્છનીય બનાવ ફરી ન બને તે પહેલા પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.