રાજપીપળાની રાજ નિવાસ હોટલમાં મુસાફરોની નોંધ નહિ કરનાર મેનેજર સામે SOG એ ગુનો દાખલ કર્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે પોલીસ દ્વારા સમયાંતરે હોટલ, રેસ્ટોરન્ટ ,ગેસ્ટ હાઉસ સહિતના એકમો પર ચેકીંગ હાથ ધરાઇ છે જેમાં રાજપીપળા માં આવેલી રાજ નિવાસ હોટલ કામના મુસાફરોની નોંધ નહિ કરતા મેનેજર સામે એસ.ઓ.જી પોલીસે ગુનો દાખલ કર્યો હતો
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા એસ.ઓ.જી પોલીસે ચેકીંગ દરમિયાન રાજપીપળા ની હોટલ રાજ નિવાસ પર ચેકીંગ કરતા હોટલ મેનેજર મોહિત રંજન સીતારામન દાસ નાઓએ પથિક સોફ્ટવેરમાં ચાલુ માસે રીશેપ્શસન કાઉન્ટર ઉપર મુકેલ રજીસ્ટરમાં તા.૦૧/૦૫/૨૦૨૨ થી તા.૧૨/૦૫/૨૦૨૨ સુધીની મુસાફરોના કુલ-૬ નામો નોંધ કરવામાં આવેલ હોવા છતાં પથિક સોફટવેરમાં એકપણ એન્ટ્રી ઓંનલાઇન નહિ કરી તેમજ પોતે નમુના મુજબના ઉતારૂઓના રજીસ્ટરમાં નિયત કોલમ મુજબ નોંધ નહિ કરી ગુનો કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે