News of Saturday, 14th May 2022
વડોદરાની પોર જીઆઈડીસીમાં નોકરીથી છૂટી ઘરે જતા આધેડને વાહને ટક્કર મારતા ગંભીર ઇજાથી મોત
વડોદરા: પોર જી.આઇ.ડી.સી.માં નોકરી કરતા આધેડ છૂટીને ઘરે જતા હતા. તે દરમિયાન હાઇવે પર ભરૃચ થી વડોદરા તરફ જવાના રોડ પર આલમગીર ગામના ગેટ પાસે કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું મોત નિપજ્યું છે.વરણામા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
તરસાલીની સાંઇધામ પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશ ભયજીભાઇ રોહિત (ઉ.વ.૪૬) છેલ્લા ૨૦ વર્ષથી પોર જી.આઇ.ડી.સી.માં આવેલી માર્સ ઓર્થોપેડિક કંપનીમાં નોકરી કરે છે.અને સ્કૂટર લઇને નોકરીના સ્થળે અપડાઉન કરે છે.ગઇકાલે રાતે નવ વાગ્યે નોકરીથી છૂટીને તે ઘરે પરત જતો હતો.તે દરમિયાન આલમગીર ગામના ગેટ પાસે પાછળથી કોઇ અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારતા તેને માથામાં તેમજ ડાબી આંખની બાજુમાં ઇજા થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું
(6:11 pm IST)