દહેગામ તાલુકાના સાંપા નજીક અગમ્ય કારણોસર યુવાને ઝાડ પર લટકી મોતને વ્હાલું કરી લેતા અરેરાટી મચી જવા પામી
દહેગામ : દહેગામ તાલુકાના સાંપા નજીક રામપુરા ખાતે કૌટુંબિક ભાણીયા ના મામેરામાં આવેલા ડભોડા નજીક બૂટાકીયા ગામના યુવાને રામપુરાની સીમ ખાતે લીમડાના ઝાડ પર લટકી કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી બીજી તરફ આવતી લગ્નની ખુશી માતમમાં ફેરવાઇ હતી. તો બીજી તરફ બનાવની જાણ થતા રખિયાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૃરી કાર્યવાહી હાથ ધરી છે. દહેગામ તાલુકાના સાંપા નજીક રામપુરા ખાતે પોતાના કૌટુંબીક ભાણીયા ના લગ્ન પ્રસંગે મામેરુ લઈને ગાંધીનગર તાલુકાના ડભોડા પાસે બૂટાકીયાગામે રહેતો ગોપાલજી પ્રભાતસિંહ સોલંકી ઉં.વ. ૨૧ નામનો યુવાન પણ આવ્યો હતો રાત્રિના સમયે મામેરાની વિધિ પૂર્ણ થયા બાદ ગોપાલજી તેની બાઈક લઈને પોતાના ઘરે જવા નીકળ્યો હતો તે દરમિયાન સાંપા ગામની સીમના એક ખેતરના શેઢા પર લીમડાના ઝાડ સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી સવારે તે માર્ગ પરથી પસાર થતા લોકોએ યુવકને આત્મહત્યા કરેલી હાલતમાં જોતા ભેગા થઇ ગયા હતા અને આ બનાવ અંગે અવનવી નવી ચર્ચાઓ કરી રહ્યા હતા.બીજી તરફ આ ઘટના અંગેની જાણ રખીયાલ પોલીસ મથકમાં કરવામાં આવતા પીએસઆઇ વી.બી. રહેવર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચી લાશનો કબજો લઇ પેનલ ડોકટરની મદદથી પીએમ કરાવવા રખિયાલના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયા હતા. સાપર ગામે લગ્ન પ્રસંગે આવેલા યુવાનની આત્મહત્યા ની ઘટનાથી લોકોમાં ચકચાર મચી હતી.