ગુજરાત
News of Friday, 14th May 2021

રાજપીપળા સહિત જિલ્લામાં તા.૧૪ થી તા.૧૬ મી મે સુધી કોરોના વેક્સીનેશનની તમામ કામગીરી મોકૂફ

(ભરત શાહ દ્વારા ) રાજપીપળા : ગુજરાત સરકાર દ્વારા કોરોના વેક્સીનેશન સંદર્ભે ૪૫  વર્ષથી વધુની વયજૂથના નાગરિકોને કોરોના વેક્સીનના બે ડોઝ વચ્ચેના સમયગાળા માટેની ગાઈડ લાઈન રિવાઝ્ડ કરવાની કામગીરી હાથ ધરેલ હોઇ, રાજ્ય સરકારની સૂચના મુજબ તા.૧૪,૧૫ અને ૧૬ મી મે, ૨૦૨૧ દરમિયાન ૩ દિવસ સુધી નર્મદા જિલ્લામાં કોરોના વેક્સીનેશનની તમામ કામગીરી મોકૂફ રાખવામાં આવી છે, જેની સંબંધકર્તા તમામને જાહેર નોંધ લેવા જણાવાયું છે.

(10:22 pm IST)