વડોદરાના આજવા નજીક ત્રાટકેલા તસ્કરો બે કલાકમાં 3.95 લાખની ઉઠાંતરી કરી છુમંતર........
વડોદરા:શહેરના આજવા રોડ ઉપર આવેલા દતનગરમાં ત્રાટકેલા તસ્કરો માત્ર બે કલાકના સમયમાં રૂપિયા 3.95 લાખની કિંમતના સોનાના ઘરેણા અને રોકડા દોઢ લાખ મળી 5.45 લાખની મત્તા ચોરી નાસી છૂટયા હોવાનો બનાવ બાપોદ પોલીસ મથકે નોંધાયો છે
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા દત્ત નગરમાં રહેતા નાનકભાઈ રાઘવાણી ખંડેરાવ શાકમાર્કેટ પાસે ચાની લારી ધરાવે છે ગઇકાલે વહેલી સવારે ચાર વાગ્યે તેઓ રાબેતા મુજબ ગ્રાઉન્ડ ફ્લોરના મકાનને તાળું મારી તેની ચાવી પ્રથમ માળે પત્નીને આપી નીકળ્યા હતા ત્યારબાદ તેઓની પત્ની ઊઠીને નીચે આવતા દરવાજાનો નકુચો તૂટેલો હોવાની જાણ થઇ હતી અને ઘરનો સામાન વેર વિખેર હતો તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મકાનમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરો તિજોરી નું લોકર તોડી તેમાંથી સોનાની બંગડી સોનાના ઝુમ્મર સોનાની વિટી સોનાનું મંગળસૂત્ર તેમજ રોકડા રૂપિયા દોઢ લાખ મળી કુલ 5.45 લાખની મત્તા ચોરી ગયા હોવાનું બહાર આવ્યું હતું.