ગુજરાત
News of Tuesday, 14th May 2019

ટોટાણા સ્થિત પૂ,સંત શ્રી સદારામ બાપાના દેહાવસાનથી સમાજજીવનને ના પુરી શકાય તેવી ખોટ પડી ;વિજયભાઈ રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

બનાસકાંઠાના ટોટાણા સ્થિત પૂ,સંત શ્રી સદારામ બાપાના દેવલોક થયાના સમાચારથી આઘાતની લાગણી અનુભવું છું તેમ જણાવતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે આજીવન પર્યત સેવાના ભેખધારી એવા પૂજ્ય સંત શ્રી સદારામ બાપાના દેહાવસાનથી સમાજજીવનને ના પુરી શકાય તેવી ખોટ પડી છે પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના

   બનાસકાંઠામાં ઠાકોર સમાજના સંત શિરોમણી સદારામ બાપા દેવલોક પામ્યા છે. ટોટણા આશ્રમના સંત શિરોમણી સદારામ બાપા 111 વર્ષની વયે દેવલોક પામ્યા છે. જેના પગલે ભક્તોમાં શોકની લાગણી ફેલાઇ હતી.
    અત્રે ઉલ્લેખનીય છે કે, સંત સદારામ બાપાએ ઠાકોર સમાજમાંથી વ્યસન મૂક્તિ સહિતના કુરિવાજો દૂર કરવાનું સદકાર્ય કર્યું છે. તેમના સદ કાર્યને લઇને ગુજરાત સરકારે પણ તેમની કામગીરીને સન્માનિત કર્યા હતા.

(10:51 pm IST)