News of Tuesday, 14th May 2019
નડિયાદની કમળા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત: એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળેજ મોત
નડિયાદ:નજીક આવેલ કમળા ચોકડી નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં આઇશર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલકનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.
નડિયાદ નજીક આવેલ કમળા ચોકડી બ્રિજ પર આજે બપોરે અકસ્માત સર્જાયો હતો.જેમાં આણંદ ખાતે રહેતા તોફીક હાજીનુર મહમંદ વ્હોરા ઉં.૪૫ ડભાણ આવ્યા હતા.ડભાણથી દિકરી માટે જીન્સનુ પેન્ટ લેવા માટે કમળા નજીક આવેલ જીન્સ ફેકટરી ખાતે જઇ રહ્યા હતા.તે સમયે બ્રિજના વળાંક પર આઇશર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી.
(5:23 pm IST)