મુખ્યમંત્રી વિજયભાઈ ઇન્દોરમાં:ભાજપના ઉમેદવાર શંકર લાલવાણીના સમર્થનમાં જાહેરસભાને સંબોધી
અમદાવાદ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સોમવારે તા.૧૩ મે ના સાંજે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોડાયા હતા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાંજે ૬ વાગ્યે ઇન્દોર પહોચ્યાં હતા તેઓએ ઇન્દોર લોકસભા બેઠકના પઉમેદવાર શ્રી શંકર લાલવાણીના સમર્થનમાં જાહેરસભા સંબોઘી હતી
મુખ્યમંત્રી તા.૧૪ મે મંગળવારે સવારે ઉજૈનમાં ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે.
લોકસભા ચૂંટણીઓના સાતમા તબક્કામાં આગામી તા. ૧૯ મે ના જે ૮ રાજ્યોની પ૯ સંસદીય બેઠકો માટે મતદાન થવાનું છે તેમાં મધ્યપ્રદેશની બેઠકોનો પણ સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મધ્યપ્રદેશમાં ઇન્દોર, ઉજૈન બેઠકો માટે ભાજપા પ્રચાર અભિયાનમાં જોડાવાના છે. તેઓ મંગળવારે બપોરે ગુજરાત પરત આવશે